અમદાવાદઃ એર ઇન્ડિયાની ફ્લાઈટ AI 0171 ક્રેશ થઈ જેમાં બિઝનેસ ક્લાસમાં ગુજરાતના અનેક નામાંકિત ઉદ્યોગસાહસિકો સામેલ હતા. અમદાવાદના નંદા કાર્ગો મોટર્સ ગ્રૂપના સ્થાપક અને લુબી મોટર્સના ડિરેક્ટર હતા. આ ઉપરાંત ગુજરાતના વતની અને હવે બ્રિટિશ નાગરિકત્વ ધરાવતા બિઝનેસમેનનો સમાવેશ થયો છે.
પ્રમુખ નંદા ગુજરાતના એક દિગ્ગજ ઉદ્યોગપતિ છે. તેઓ કાર્ગો મોટર્સ ગ્રૂપના સ્થાપક છે. કાર્ગો મોટર્સ ગ્રૂપ પશ્ચિમ ભારતમાં એક અગ્રણી ઓટો ડીલરશિપ અને ટ્રાન્સપોર્ટ સોલ્યૂશન પ્રોવાઇડર છે. અહેવાલ અનુસાર પ્રમુખ નંદા તેમના પરિવારના સભ્યો (પત્ની નેહા પ્રમુખ નંદા, પુત્ર પ્રવેશ નંદા અને પ્રયાસ પ્રમુખ નંદા) સાથે આ ફ્લાઈટમાં લંડન જઈ રહ્યા હતા. આ ઉપરાંત સુભાષ અમીન લુબી મોટર્સના ડિરેક્ટર છે. ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ અને અમદાવાદની જાણીતી રાજપથ ક્લબના ડિરેક્ટર દિલિપ મહેન્દ્રભાઈ પટેલ પણ આ ઘટનામાં ભોગ બન્યા છે. મહેન્દ્રભાઇ પટેલની સાથે તેમના ધર્મપત્ની પણ હતા.