રાજપથ અને કર્ણાવતી કલબના પૂર્વ પ્રમુખ એનજી પટેલનું કોરોનાથી મૃત્યુ

Thursday 28th May 2020 06:17 EDT
 

અમદાવાદ: શહેરમાં બંગલોઝ સ્કીમની શરૂઆત કરનાર અને બિલ્ડર એસોસિએશનના પ્રથમ પ્રમુખ નરસિંહભાઇ પટેલ (એનજી ગ્રૂપ ઓફ કંપનીઝ)નું કોરોનાને કારણે સોમવારે સવારે નિધન થયું છે.
કર્ણાવતી અને રાજપથ કલબના પૂર્વ પ્રમુખ નરસિંહભાઇને લીવરની તકલીફ હોવાથી સારવાર માટે જૂની હાઇ કોર્ટ ખાતે એક ખાનગી હોસ્પિટલમાં ચોથી મેના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને કિડનીમાં તકલીફ જણાતા સિમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનું ટુંકી સારવાર દરમિયાન સોમવારે સવારે નિધન થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter