ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નોટબંધી પછી અંબાજી દેવસ્થાનમાં ઇ-ટ્રાન્ઝેકશનથી રૂ. ૩૧ હજારનું દાન કરતાં રાજ્યના સૌથી મોટા છ દેવસ્થાનમાં કાયમી ધોરણે ઇ-ટ્રાન્ઝેકશનથી જ દાન સ્વીકારાય તેવી વ્યવસ્થા ગોઠવવા રાજ્ય સરકારે ગતિવિધિ હાથ ધરી છે. આ માટે આગામી દિવસોમાં કેટલી રકમનું દાન હોય તો તેને ઇ-પેમેન્ટથી સ્વીકારવું તે બાબતોને રાજ્ય સરકાર અંતિમ સ્વરૂપ આપશે.

