ગાંધીનગરઃ રાજ્યમાંથી વર્ષાએ રજા ન લીધી હોય તેમ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ૧૨મી નવેમ્બરથી ત્રણ દિવસ પણ વરસાદ રહ્યો હતો. ૧૨મી નવેમ્બરે ક્યાંક ક્યાંક વરસાદ રહ્યા બાદ ૧૩મી અને ૧૪મી નવેમ્બરે સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં કરા સાથે અર્ધાથી ૪ ઈંચ વરસાદ પડયો હતો. કરા સાથે વરસાદ પડતાં ખેડૂતો પાક નાશના કારણે ચિંતામાં પડયા છે. વરસાદથી પાક બગડી જતાં રાજ્ય સરકારે ખેડૂતોને સહાય માટે રૂ. ૭૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. એસડીઆરએફના નિયમો મુજબ રાજ્ય સરકાર ૩૩ ટકાથી વધુ નુકસાન થયું છે તેવા ખેડૂતોને સહાય ચૂકવશે.