અમદાવાદઃ વિદેશ પ્રધાન અને રાજ્યસભાના સાંસદ એસ. જયશંકર તથા જુગલજી ઠાકોરની જીતને પડકારતી રાજયસભાની ચૂંટણી સહિતની કુલ સાત ઇલેકશન પીટિશન હાઈ કોર્ટમાં ફાઈલ થઈ હતી. એમાંથી સુનાવણી બાદ હાઇ કોર્ટે ૧૩મીએ સાત પૈકીની ચાર પીટિશન રદબાતલ ઠરાવી છે. આ સાથે ત્રણ પીટિશનમાં વિદેશ પ્રધાન એસ. જયશંકર, જુગલજી ઠાકોર સહિત અન્યો સામે નોટિસ કાઢવાનો હુક્મ કર્યો છે.