રામ મંદિર નિર્માણ માટે ગુજરાતના ૧૮૫૫૬ પરિવારનો સહયોગઃ વિહિપ

Saturday 26th December 2020 06:27 EST
 

અમદાવાદઃ લાંબા સંઘર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની પ્રક્રિયા શરૂ કરાઇ છે. ત્યારે કોઈ એક સમાજ કે પૂંજીપતિના સહયોગને બદલે ગુજરાતના ૧૮૫૫૬ સહિત દેશભરના ૫.૨૩ લાખ ગામના ૧૩ કરોડ હિન્દુ પરિવારોના સહયોગથી રામ મંદિરનું નિર્માણ કરાશે. આ માહિતી આપતા વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી ડો. સુરેન્દ્ર જૈને વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં સંતોના માર્ગદર્શનમાં તમામ સંપ્રદાયો, સંતો અને આચાર્યોને સાથે રાખી ગોવિંદ ધોળકિયાના અધ્યક્ષ સ્થાને નિધિ સમિતિ તૈયાર કરાઇ છે. જે કાર્યકરો તૈયાર કરી ગુજરાતના ગામોમાંથી મંદિર માટે ધન એકત્ર કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter