અમદાવાદઃ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ૧૬ અને ૧૭મી જુલાઈએ ગુજરાત મુલાકેત આવી રહ્યા છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ આગોતરી તૈયારીઓ શરૂ કરી છે. રાહુલ બે દિવસની સૌરાષ્ટ્ર મુલાકાતમાં ભાવનગરના મેથળા બંધારાના ખેડૂતોને મળશે, અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે કામદારો, વેપારીઓને મળશે. અમરેલીના ધારી જંગલમાં માલધારીઓ સાથે પણ મુલાકાત થઈ શકે છે. આ ઉપરાંત સાધુ-સંતોને પણ રાહુલ મળે તે માટેનું પ્રદેશ કોંગ્રેસે આયોજન ઘડ્યું છે.


