રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી સી-૧ પ્લેન

Friday 03rd July 2020 07:06 EDT
 
 

ગાંધીનગરઃ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી સી-પ્લેનની હવાઇ સેવા શરૂ કરવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું કામ ઓક્ટોમ્બરની શરૂ કરવાના નિર્દેશ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. આગામી સપ્ટેમ્બર સુધીમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વતી આ પ્રોજેક્ટ માટે આઇડબ્લ્યુએઆઇ બાથીમેટ્રિક અને હાઇડ્રોગ્રાફિક સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. બાથીમેટ્રીક સર્વે કે જળાશયના ઉંડાણ અને પાણીની નીચેની સપાટીના પરિબળો ચકાસતો મહત્ત્વનો સર્વે છે. જેનું કામ પૂર્ણ થયા બાદ તરત જ રૂટની કામગીરી શરૂ કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter