ગાંધીનગરઃ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે અગાઉ જાહેરાત કરી હતી કે, કોરોનાના પગલે રૂપાલમાં પલ્લી નહીં નીકળે, પણ વરદાયિની માતાજીની પલ્લીની પરંપરા તૂટવાને અશુભ માનતા ગ્રામજનોએ આ આસો સુદ નોમે પલ્લી કાઢીને એક કલાકમાં જ વિધિ પૂર્ણ કરી હતી. જોકે પલ્લી પરથી ઘીની નદીઓ વહી નહોતી. સામાન્ય રીતે રૂપાલની પલ્લીમાં બે દિવસમાં અંદાજે ૧૦ લાખથી વધુ લોકો ઉમટે છે. ગયા વર્ષે પલ્લીમાં ૪ લાખ કિલો ઘીનો ચડાવો થયો હતો જ્યારે આ વર્ષે પલ્લીના પાંચ કુંડમાં અગ્નિ પ્રગટાવી રાખવા જરૂર પડે ત્યારે ઘી હોમાયું હતું.