અમદાવાદઃ કચ્છના લખપતમાં ૨૯મીએ રાત્રે પોણા બે વાગ્યે ૨.૪ની તીવ્રતાનો અને ડીસામાં રાત્રે દોઢ વાગ્યે ૧.૯ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉ. ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ૨૬મી માર્ચથી ત્રણ દિવસમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. અલબત્ત, આંચકાની તીવ્રતા ઓછી હોવાથી પરિસ્થિતિ ચિંતાજનક નથી.

