અમદાવાદઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ ૨૦૧૭ અને ૨૦૧૯માં જે એમઓયુ થયા છે તે પૈકી કેટલા ઉદ્યોગોએ કેટલું મૂડીરોકાણ કર્યું છે તે સંદર્ભે કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં લેખિત સવાલો કર્યાં હતાં. આ પ્રશ્નોના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭ના એમઓયુમાં ૧ લાખ ૯૫ હજાર કરોડનું મૂડીરોકાણ થયું છે. જ્યારે વર્ષ ૨૦૧૯ની સમિટમાં થયેલા એમઓયુમાં રૂ. ૨૯,૪૦૦ કરોડનું મૂડીરોકાણ રાજ્યમાં થયું છે. ૩૧મી ડિસેમ્બર ૨૦૧૯ની સ્થિતિના આ આંકડા હોવાનું રાજ્યના ઉદ્યોગ વિભાગે જણાવ્યું છે. વર્ષ ૨૦૧૯ના એમઓયુમાં સૌથી વધુ સુરત જિલ્લામાં ૫,૩૭૧.૮૩ કરોડનું મૂડીરોકાણ થયું હોવાનો સરકારે દાવો કર્યો છે. આ ઉપરાંત વડોદરા જિલ્લામાં રૂ. ૩૭૭૬ કરોડ, રાજકોટમાં રૂ. ૧૯૬૭ કરોડ મોરબીમાં રૂ. ૨૯૫૩ કરોડનું મૂડીરોકાણ થયું છે.