વિદેશી ભંડોળના ઉચાપત કેસમાં તિસ્તાની અરજી ફગાવાઇઃ વર્ષ ૨૦૦૨ના કોમી રમખાણોના ચકચારભર્યા ગુલબર્ગ હત્યાકાંડના અસરગ્રસ્તો માટે વિદેશથી આવેલા ભંડોળમાંથી મોટી ઉચાપતના કેસમાં ક્રાઇમબ્રાંચ દ્વારા તિસ્તા શેતલવાડના ટ્રસ્ટોના સીઝ કરાયેલા બેંક એકાઉન્ટ ખોલાવવા માટે તિસ્તા સેતલવાડ દ્વારા થયેલી અરજી એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ એમ. એચ. પટેલે આકરા વલણ સાથે ફગાવી હતી. તિસ્તાની અરજી ફગાવતાં કોર્ટે નોંધ્યું હતું કે, જો તિસ્તાની સંસ્થાના સીઝ કરાયેલા બેંક એકાઉન્ટ ખોલવામાં આવે તો કેસની તપાસને ગંભીર અસર થાય તેમ છે. વળી, તિસ્તાએ આ કેસની તપાસમાં પૂરતો સાથ-સહકાર પણ આપ્યો નથી.