વિખ્યાત જ્યોતિષ બેજન દારૂવાલાનું ૯૦ વર્ષે નિધન

Thursday 04th June 2020 06:41 EDT
 
 

અમદાવાદઃ દેશના વિખ્યાત જ્યોતિષ બેજન દારૂવાલાનું ૨૯મી મેએ નિધન થયું હતું. તેઓ ૯૦ વર્ષના હતા. તેમના પુત્ર નસ્તુર દારૂવાલાએ જણાવ્યું હતું કે, તેમના પિતા બેજન દારૂવાલાનું મૃત્યુ કોરોનાના સંક્રમણથી નહીં, પણ હાર્ટ એટેકના લીધે થયું હોવાનું જણાવ્યું હતું. નસ્તુરે કહ્યું હતું કે, મારા પિતા ન્યુમોનિયાથી પીડાતા હતા. તેમણે ઉમેર્યું હતું કે, મારા પિતા બેજન દારૂવાલાને છેલ્લા ૬ દિવસથી એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને મગજમાં પૂરતો ઓક્સિજન પહોંચતો ન હતો. ઓક્સિજનનું લેવલ વધતું ન હતું. ૨૯મી મેએ સાંજે હોસ્પિટલમાં તેમને મેસિવ હોર્ટએટેક આવ્યો હતો. તબીબો દ્વારા તેમને રિવાઇવ કરવાનો
પ્રયત્ન કરાયો હતો, પણ તેમની તબિયત લથડતી ગઈ હતી અને તેમનું નિધન મેસિવ હાર્ટએટેકથી થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter