વિજયનગર નજીક ટ્રક-જીપ અથડાતાં ૮નાં મોત

Wednesday 28th February 2018 06:06 EST
 
 

વિજયનગર, હિંમતનગરઃ સાબરકાંઠાના વિજયનગરથી ૨૦ કિમી દૂર આંતરસુંબા આશ્રમ નજીક સોમવારે સવારે રોંગ સાઇડે ધસી આવેલી ટ્રક સામેથી આવતી જીપને ધડાકાભેર અથડાતાં ૩ જણાનાં ઘટના સ્થળે અને બાકીના ૫નાં સારવાર દરમિયાન મોત થતાં આંકડો ૮ થયો હતો. જ્યારે જીપચાલક સહિત ૨૪ જણાને ગંભીર ઇજા થતાં ખેડબ્રહ્મા અને હિંમતનગરની હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. જેમાં ૩ની હાલત નાજુક બતાવાઇ રહી છે. મૃતકોમાં બે સગી બહેનો અને બે સગાભાઇનો પણ સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter