ગાંધીનગરઃ વિધાનસભા અધ્યક્ષ અને વડોદરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને હાર્ટમાં તકલીફ થતા સોમવારે મોડી રાત્રે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રાજેન્દ્ર ત્રિવેદીને હાર્ટ સંબંધિત તકલીફ થતા તેમને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલે લઇ જવાયા હતા. જોકે ડોક્ટરોએ તેમને યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઇ જવા સલાહ આપી હતી. યુએન મહેતાના ડો. આર. કે. પટેલે જણાવ્યું હતું કે તેમને હૃદયરોગનો હળવો હુમલો આવ્યો છે, પરંતુ તેઓ ગોલ્ડન અવરમાં અહીં પહોંચ્યા હોવાથી એન્જિયોગ્રાફી કરાશે અને જરૂર જણાય તો એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકાશે.