વિપુલ ચૌધરીની અમિત શાહ સાથે મુલાકાતથી તર્કવિતર્ક

Thursday 03rd November 2016 06:52 EDT
 
 

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ દિવાળી પ્રસંગે અમદાવાદ ખાતેના નિવાસસ્થાને આવેલા છે. આમ તો અમિત શાહનો પ્રવાસ પારિવારિક કારણોસરનો કહેવાય છે પરંતુ શાહને મળવા મુખ્ય પ્રધાન-ઉપ મુખ્ય પ્રધાનથી લઈને ભાજપના સંગઠનના તેમજ સરકારના મહત્ત્વના લોકો જઈ ચૂક્યા હતા. તેમાં દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને ઉત્તર ગુજરાતનાં સહકારી ક્ષેત્રના મજબૂત આગેવાન વિપુલ ચૌધરીએ પણ દિવાળીના દિવસે અમિત શાહની મુલાકાત લેતા રાજકીય તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter