ગાંધીનગરઃ રાજ્યમાં તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરાઈ છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં આ અભિયાનમાં શ્રમદાન માટે શિક્ષકોને ફરજ પાડતો પરિપત્ર પાઠવાતા વિવાદ છેડાયો છે. કોંગ્રેસ આક્ષેપ કર્યો છે કે, શિક્ષકોના આ પ્રકારના ઉપયોગને કારણે રાજ્યમાં શિક્ષણની અધોગતિ થઈ છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે આખી સરકાર જળ અભિયાનમાં લાગી છે તો શિક્ષકો તેમાં સહભાગી થાય તો કંઈ ખોટું નથી.

