ગાંધીનગર: ગુજરાત કેડરના ૧૯૮૯ બેચના આઈએએસ કે. શ્રીનિવાસ અને ૨૦૦૫ બેચના ડો. વિક્રાન્ત પાંડેને ૧૫મી ઓક્ટોબરે નવી દિલ્હી ખાતે ડો. એ.પી.જે. અબ્દુલ કલામ એવોર્ડ ફોર ઇનોવેશન ઇન ગવર્નન્સ એનાયત થયા છે. દસ વર્ષીય કામગીરીના આધારે આ એવોર્ડ અપાયા છે. દેશમાં ૧૨ સનદી અધિકારીઓને આ એવોર્ડ અપાયા છે. કે. શ્રીનિવાસ અત્યારે મહેસૂલ વિભાગમાં અગ્રસચિવ છે, જ્યારે ડો. વિક્રાન્ત પાંડે રાજકોટના કલેક્ટર છે. આ ઉપરાંત અમદાવાદના ડીડીઓ વિભાવરીબહેન દવેને પણ આ એવોર્ડ એનાયત થયો છે. છેલ્લા એક દાયકા દરમિયાન વિવિધ વિભાગોમાં પ્રોજેક્ટોમાં નાવિન્ય અપનાવવા બદલ આ બધા એવોર્ડ અપાયા છે.