• પાલિકા - પંચાયતની ચૂંટણી નહીંઃ રાજ્યની ૬ મહાનગર પાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતની વર્તમાન માળખાંની મુદત ડિસેમ્બર માસમાં પૂર્ણ થાય છે. ડિસેમ્બરમાં નવા માળખાંને સત્તા સોંપવા ચૂંટણીપંચે ઓક્ટોમ્બરમાં જાહેરનામું પ્રસિદ્વ કરી આચારસંહિતા લાગુ કરવી પડે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા આ શક્ય લાગતું નથી. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણીની જાહેરાત થવાના બદલે વહીવટદારની નિમણૂક કરવા માટે સરકાર વિચારણામાં છે.
• IIM-A દેશની બિઝનેસ સ્કૂલોમાં પ્રથમઃ નેશનલ ઇન્ડિયન રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા જાહેર થયેલા રેન્કિંગમાં સમગ્ર દેશની બિઝનેસ સ્કૂલમાં આઇઆઇએમ - અમદાવાદનો પ્રથમ ક્રમ આવ્યો છે. આઇઆઇએમ બેંગલોર બીજા ક્રમે, આઇઆઇએમ કોલકત્તા બીજા ક્રમે છે. ૨૦૧૯માં આઇઆઇએમ અમદાવાદ બીજા ક્રમે હતું જ્યારે કે બેંગલોર પ્રથમ ક્રમે રહ્યું હતું.
• જગન્નાથનું મામેરું પહેલીવાર સરસપુર કરશેઃ સોમવારે ૧૫મી જૂનથી અમદાવાદ જગન્નાથ મંદિર ખુલ્લું મુકાયું છે. રથયાત્રા પહેલાં જળયાત્રા સંપન્ન થઈ ગઈ છે. આ સાથે જ ભગવાનના મામેરાની તૈયારી શરૂ થઈ છે. દર વખતે ભગવાનના મામેરાની વિધિ માટે લકી ડ્રો થતો હોય છે, પરંતુ આ વખતે ૧૪૩ વર્ષમાં પહેલી વાર ૧૭ જૂને ભગવાનનું મામેરું આખું સરસપુર ગામ ભરશે. તેવું નક્કી કરાયું હતું. ભગવાનનું મામેરું અગિયારસના દિવસે સાંજે ૪ વાગ્યે ભરાશે. તેમાં જેમાં વસ્ત્રો દાગીના સુભદ્રાજીની સાડી પાર્વતી શણગાર વગેરે વસ્તુઓ હશે. મામેરામાં પ્રસાદ વિતરણ અથવા કોઈ ભક્તને મામેરું જોવા નહીં મળે. માત્ર ટીવીના માધ્યમથી જ ભક્તો મામેરું જોઈ શકશે.