સુરતઃ સેરોગસીથી બાળકીનો જન્મ થયો હતો. એર એમ્બુલન્સ દ્વારા બાળકીને બેંગલુરુ પહોંચાડવાની વ્યવસ્થા દંપતીએ જ કરી હતી. ડો. પ્રભાકર અને પૂજા નાડકર્ણીએ જણાવ્યું કે એક વર્ષ પહેલાં બેંગલુરુનું દંપતી આવ્યું હતું. ગર્ભાશયમાં થોડી સમસ્યા હોવાથી પત્ની ગર્ભ ધારણ કરી શકે તેમ નહોતી. જેથી સરોગસીથી સંતાન મેળવવાનું તેમણે નક્કી કર્યું. સરોગેટ માતાએ ૨૯મી માર્ચે બાળકીને જન્મ આપ્યો. લોકડાઉનના કારણે વીડિયો કોલથી જ દંપતીએ બાળકીને દિવસમાં ત્રણ ચાર વખત નિહાળી હતી. ઘણા પ્રયત્નો પછી દિલ્હીથી બાળકી માટે એર એમ્બ્યુલન્સની ગોઠવણ થઈ અને ૧૭ દિવસ બાદ ૧૪મી એપ્રિલે બાળકી દંપતીને મળી હતી.