સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલરપદે હસમુખ અઢિયા

Wednesday 13th March 2019 06:25 EDT
 

અમદાવાદઃ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર તરીકે રાષ્ટ્રપતિએ પૂર્વ કેન્દ્રીય નાણાસચિવ ડો. હસમુખ અઢિયાની નિમણૂક કરી છે. નિયુક્તિનો સત્તાવાર મેઇલ યુનિવર્સિટીને મળ્યો છે. ટૂંક સમયમાં અઢિયા ચાર્જ સંભાળશે. અઢિયાને બેન્ક ઓફ બરોડાના ચેરમેન ઉપરાંત સેન્ટ્રલ યુનિ.ના ચાન્સેલર બનાવાયા છે. સેન્ટ્રલ યુનિ. ઓફ ગુજરાતના ચાન્સેલર તરીકે પ્રો. વાય. કે. અલઘની પાંચ વર્ષની ટર્મ ૨૦૧૮ની સાલમાં પૂરી થઈ હતી, પરંતુ જ્યાં સુધી નવા ચાન્સેલર નિયુક્ત થાય નહીં ત્યા સુધી તેમણે ચાર્જ સંભાળવાનો હતો. હવે આ પદે ડો. હસમુખ અઢિયાની નિમણૂક થઈ ગઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter