CBSE ધો. ૧૦માં જામનગરનો આર્યન પ્રથમ

Wednesday 08th May 2019 06:30 EDT
 

જામનગર: સીબીએસઇ ધો-૧૦નું પરિણામ સોમવારે જાહેર થયું છે. ૫૦૦માંથી ૪૯૯ માર્ક મેળવી ૧૩ વિદ્યાર્થીઓ રેન્કર થયાં છે. તેમાં ૬ વિદ્યાર્થિનીઓ છે. પરીક્ષાનું પરિણામ ૯૧.૧ ટકા છે. આ ટોપર્સમાં જામનગરનો આર્યન ઝા પ્રથમ અને આયુષી ત્રીજા ક્રમાંકે છે. આર્યનને પરીક્ષામાં ૫૦૦માંથી ૪૯૯ ગુણ મળ્યાં છે. આર્યન કહે છે કે તેને ડોક્ટર બનવું છે અને આયુષીને કમ્પ્યુટર ઈજનેર થવું છે.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter