અજાણ્યા વાહનની અડફેટે માજી સુધરાઇ સભ્યનું મૃત્યુ

Wednesday 05th February 2020 05:33 EST
 

અમરેલી: બાબરા - અમરેલી રોડ પર સોમનાથ જિનિંગ નજીક બીજી ફેબ્રુઆરીએ યુવા ભાજપ આગેવાન કુમારસિંહ વજેસિંહ સોલંકી (ઉ. વ. ૪૪)નો અકસ્માત અજાણ્યા બાઇક સવાર સાથે થયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વજેસિંહને સરકારી દવાખાનામાં ખસેડાયા હતાં, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરાતા બાબરામાં શોકનો માહોલ છવાયો હતો. મૃતક રાજપૂત સમાજના અગ્રણી અને બાબરા નગરપાલિકાના પૂર્વ સદસ્ય પણ હતાં. વજેસિંહને અડફેટે લેનાર વ્યક્તિ નાસી છૂટયો છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter