અમિત શાહે બબ્બે વખત સોમનાથદાદા સામે શિશ ઝુકાવ્યું

Wednesday 16th May 2018 07:13 EDT
 
 

વેરાવળઃ ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ૧૧મી મેએ સોમનાથનાં દર્શને આવ્યા હતા. ચાર્ટર પ્લેનમાં તેઓ પોતાનાં પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી સાથે બપોરે ૩:૪૪ વાગ્યે કેશોદ આવી પહોંચ્યા હતા અને ત્યાંથી મોટરમાર્ગે સોમનાથ આવ્યા હતા. સોમનાથમાં અમિત શાહે પરિવારજનો સાથે દર્શન કરી પૂજા કરીને ધ્વજા ચઢાવી હતી. બાદમાં તેઓ મંદિરની બહાર નીકળ્યા હતા. જોકે, મંદિરનો ઉંબર ઓળંગ્યા બાદ તેઓ ફરીથી એકલા જ અંદર ગયા હતા. ફરીથી તેમણે સોમનાથ દાદાને શીશ ઝૂકાવ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ કહ્યું હતું કે, અમિતભાઇને સોમનાથદાદામાં ખૂબ જ આસ્થા છે. કર્ણાટકમાં ચૂંટણી હોઇ દાદાનાં આશીર્વાદ લેવા આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter