રાજકોટઃ ચારધામની યાત્રાએ નીકળેલા યાત્રિકોની બસ પાંચમીએ સાંજે ગંગોત્રી દર્શન કરી પરત ફરી રહી હતી ત્યારે તેમની મિનિબસ ઉત્તરાખંડના ભીરવાડીથી ૧૦ કિ.મી. દૂર ૬૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. સોનગઢ પાસે બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ ખાઇમાં પડી હતી. આ અકસ્માતમાં રાજકોટનાં સાત વ્યક્તિ સહિત ૯નાં મોત થયાં હતાં અને પાંચને ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃતકોના પાર્થિવ દેહને રાજકોટ લાવવા માટે વિશેષ વિમાનની વ્યવસ્થા કરાઈ હતી.