કવિ સુલતાન લોખંડવાલાનું નિધન

Wednesday 20th September 2017 09:28 EDT
 

બગસરાઃ બગસરાના નામાંકિત કવિ સુલતાન લોખંડવાલાનું ૮૨ વર્ષની વયે ટૂંકી બીમારી બાદ ૧૮મી સપ્ટેમ્બરે નિધન થતાં સાહિત્ય જગતમાં ઘેરા શોકની લાગણી છે. કવિ જગતમાં શીઘ્ર કવિ તરીકે નામના પામેલા બગસરાના આ કવિનું અવસાન થતાં કવિતાનો એક યુગ અસ્ત થયો છે. કવિ સુલતાન લોખંડવાલા કવિતા લેખન સાથે સાથે અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને સામાજિક કાર્યો કરતા હતા. ચેમ્બર ઓફ કોમર્સ, પેસેન્જર્સ એસોમાં પ્રમુખ તરીકે તેમણે ફરજ બજાવી હતી. તેમજ બગસરા નાગરિક શરાફી સહકારી મંડળના ડિરેક્ટર પણ રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter