કાર - બાઇક વચ્ચે અકસ્માત: ૪નાં ઘટનાસ્થળે જ મોત

Wednesday 29th January 2020 05:27 EST
 

જામનગર: નવાગામ અને છીકારી ગામ વચ્ચે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ચાર યુવાનોનાં ઘટનાસ્થળે જ ૨૮મી જાન્યુઆરીએ મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ મેઘપર પોલીસ અને એમ્બ્યુલન્સ મેડિકલ સેવા ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ચારેયના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મૃતકોમાં કુલદીપ ગોરધન સોનરત (ઉ. ૨૧), વિશ્વરાજસિંહ પ્રદીપસિંહ ઝાલા (ઉ. ૧૪), સુખદેવસિંહ અનોપસિંહ જાડેજા (ઉ. ૨૨) અને અન્ય એક યુવકનો સમાવેશ થાય છે. મૃતક ચારેય યુવાનો નવાગામમાં રહેતા હતા. એક ગામના ૪ યુવાનોના મોતથી ગ્રામજનોમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter