કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના શતાયુ પિતાનું નિધન

Sunday 17th May 2020 06:41 EDT
 

ગાંધીનગર: કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના પિતા લખમણભાઇ જીવાભાઇ માંડવિયાનું ૧૬મી મેએ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના હણોલ ગામે અવસાન થયું છે. તેઓની વય ૧૦૦ વર્ષની હતી. લોકડાઉનના કારણે લૌકિક ક્રિયા બંધ રખાઇ છે. આ તબક્કે માંડવિયાએ પિતાને પત્ર લખીને લાગણી વ્યક્ત કરી કે, મહાભારતના શાંતિપર્વમાં કહ્યું છે કે જ્યારે પિતા ખુશ થાય છે ત્યારે તમામ દેવો ખુશ થાય છે. તેમને મારા હોદ્દાનું કોઇ બંધારણીય જ્ઞાન નહોતું, પરંતુ ‘લોકોનું ભલું થાયને એવું કરવું’ એટલું કહીને જગતનું સર્વોપરી જ્ઞાન મને આપ્યું છે. આપનું વાક્ય હંમેશા મારા કાર્યનો માર્ગદર્શક સિદ્વાંત બની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter