કોઠારિયા, વાવડી ગામ રાજકોટ પાલિકામાં ભળશેઃ

Thursday 27th November 2014 09:54 EST
 

પ્રભાસપાટણમાં જૂથ અથડામણઃ યાત્રાધામ સોમનાથ સાથે જોડાયેલા પ્રભાસપાટણમાં ૨૫ નવેમ્બરે રિક્ષાચાલકો વચ્ચે મુસાફર બેસાડવા બાબતે બોલાચાલી થયા બાદ બે કોમનાં ટોળા માર્ગો ઉપર ઉતરી આવતા અથડામણ થઇ હતી. બેફામ પથ્થરમારા તથા સોડાબોટલનાં છુટ્ટા ઘા થતાં આ વિસ્તારમાં તંગદિલી પ્રસરી હતી. તોફાની ટોળાએ ૧૦થી વધુ દુકાનો, કેબિનો, વાહનોમાં તોડફોડ કરીને આગ ચાંપી હતી. હિંસામાં ત્રણ પોલીસમેન સહિત ૧૩ને ઇજા થઇ છે. હિંસાથી બજારો ટપોટપ બંધ થઇ ગઇ હતી. તોફાનીઓને વિખેરવા પોલીસે ટીયરગેસનાં નવ સેલ છોડવા પડયા હતા. પોલીસે ૪૦૦ લોકોનાં ટોળા સામે ફરિયાદ નોંધીને પ૦ની અટકાયત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter