કોરોનાના ભયે પિતાના અંતિમવિધિમાં સ્વજનોને ન આવવા વિનંતી કરી

Wednesday 25th March 2020 09:14 EDT
 

રાજકોટઃ કોરોનાને ફેલાતો અટકાવવા લોકોએ ટોળું કરવું નહીં આ સૂચનાનું પાલન રાજકોટના એક પરિવારે દુઃખદ સ્થિતિમાં પણ કર્યું હતું. પરિવારમાં એક મોભીનું મૃત્યુ થતાં કોરોનાના ભયે મૃતકના પુત્રે અંતિમવિધિમાં સ્વજનોને ન જોડાવા વિનંતી કરી હતી મૃતકના પુત્રએ મૃતદેહનું વીડિયો શૂટિંગ મોબાઇલમાં કરી લીધું અને વીડિયો તમામ સંબંધીઓને મોકલી આપ્યો હતો.  પરિવારના સાત નિકટજનો રામનાથપરા સ્મશાને પહોંચ્યા હતા અને મૃતકની અંતિમવિધિ કરી હતી. એટલું જ નહીં પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ ઉઠમણું બેસણું પણ રાખ્યું નહોતું. એવી સગા સંબંધીઓને જાણ કરી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter