ગળાફાંસો ખાઈ કોરોનાનાં દર્દીની આત્મહત્યા

Wednesday 21st April 2021 04:18 EDT
 

રાજકોટઃ સંતકબીર રોડ પરની સત્ય સોસાયટીમાં રહેતા અને ચાંદીની મજુરી કરતા સુનીલભાઈને કોરોના ડીટેક્ટ થતા ગઈ તા.૧૩મીએ રાત્રે ૧૦ વાગ્યે સંજીવની ગુરૂકુળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ગઈકાલે રાત્રે ૨ વાગ્યે ડોકટરો તેની પાસે ગયા હતાં. તેની હાલત પણ હાલ સ્થિર હતી. પરંતુ કોરોનાને કારણે ખુબજ ગભરાઈ ગયેલ હોય તેવું વર્તન કરતા હતાં. ડોકટરોને અવારનવાર મારા પરિવારજનો કેમ મળવા આવતા નથી, બધા માસ્ક કેમ પહેરે છે, તેમ પુછતા હતાં. ગઈકાલે રાત્રે બે વાગ્યે ડોકટરો ગયા બાદ ગમે તે સમયે તેણે પોતાને ચડાવેલી ઓક્સિજનની નળી કાઢી તેને ગળામાં ભરાવી રૂમમાં આવેલી બારીની ગ્રીલમાં બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter