રાજકોટ: સંત પ્રમુખસ્વામી મહારાજના જન્મશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગોંડલના અક્ષર મંદિર ખાતે તીર્થરાજ અક્ષર દેરી અને અક્ષર મંદિરની નિર્માણ ગાથાના ગૌરવવંતા ઇતિહાસને ધ્વનિ અને પ્રકાશના માધ્યમથી અદભુત સંયોજન કરી “લાઇટ એન્ડ સાઉન્ડ શો” તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. જેને માગશર સુદ આઠમથી ખુલ્લી મૂકવામાં આવી. આ પ્રસંગે રામજી મંદિર, ગોંડલના મહંત જયરામદાસજી, બાંદરા ધામ ઉગમ આશ્રમના
મહંત ગોરધનબાપુ ઉપસ્થિત રહ્યા હતા.