ગોંડલમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કોરોનાથી એક દિવસમાં મૃત્યુ

Wednesday 21st April 2021 04:13 EDT
 

ગોંડલઃ ગોંડલ એસઆરપી ગ્રુપ ૮નાં કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ દોલતભાઈ સુર્યવંશી હાલ તામિલનાડુ ચૂંટણી ફરજ પર છે. દરમ્યાન તબીયત લથડતાં અને કોરોના પોઝીટીવ આવતાં તામિલનાડુની હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં વહેલી સવારે સારવાર દરમિયાાન તેમનું મૃત્યુ થયું હતું. બનાવની કરુણતા છે કે તેમનાં પિતા દોલતભાઈનું પણ તેમનાં વતન મહારાષ્ટ્રના બોટાવદ ગામે કોરોનાને કારણે આ જ દિવસે નિધન થવા પામ્યું હતું. ઉપરાંત તેમનાં બહેન મંગલબેને પણ આ જ દિવસે કોરોનાને કારણે દમ તોડ્યો હતો. એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવવા શોક છવાયો હતો. દોલતભાઈ ગોંડલ ખાતે એસઆરપીમાં ફરજ બજાવી તેમનાં વતનમાં નિવૃત્ત જીવન ગાળતાં હતા. જીતેન્દ્રભાઈ ગોંડલ ફરજ બજાવતાં હતાં. જ્યારે તેમનાં બહેન મહારાષ્ટ્રનાં ભાષ્ટ ખાતે રહેતાં હતાં. કોરોના કાળ બનીને એક જ પરિવારના પિતા, પુત્ર અને પુત્રીને ભરખી ગયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter