જગતમંદિરને સોને મઢવાનો ધારાસભ્યનો સોનેરી નિર્ધાર

Wednesday 11th July 2018 08:57 EDT
 

દ્વારકાઃ સ્વ. વિરમભા આશાભા માણેકની પુણ્યતિથિએ છઠ્ઠી જુલાઈએ તેમના પુત્ર અને દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે જગતમંદિરને સુવર્ણથી ઝળહળતું કરવાનો સોનેરી સંકલ્પ લીધો છે. જેને સ્થાનિક અગ્રણીઓએ વધાવી લીધો હતો.
દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે જેઠ વદ આઠમના રોજ ઓખા મંડળના ભામાશા ગણાતા તેમના પિતા સ્વ. વિરમભા આસાભા માણેકની પુણ્યતિથિ નિમિત્તે નાગેશ્વર રોડ પર વિરમભા આશાભા માણેક ટ્રસ્ટ દ્વારા નંદી શાળા - ગૌશાળામાં દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ માટે પ. પૂ. ૧૦૦૮ મહામંડલેશ્વર મા કનકેશ્વરી દેવીજીની ઉપસ્થિતિમાં ધ્વજાજીનું પૂજન કર્યું હતું. આ સાથે કનકેશ્વરી દેવીજીના હસ્તે ગૌશાળાના શીલાપૂજન પણ કરાયું હતું. પબુભાએ શ્રીકૃષ્ણની કર્મભૂમિમાં રહેવાનો લહાવો મળવા બદલ ઠાકોરજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સાથે એવી ઘોષણા પણ કરાઈ હતી કે દ્વારકાધીશ જગતમંદિરને સોનાથી મઢવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter