ઢસા સ્વામીનારાયણ ગુરુકુળ શાળામાં સ્વામી પર હુમલો

Wednesday 13th November 2019 06:02 EST
 

ભાવનગરઃ બોટાદ જિલ્લાના ગઢડા (સ્વામીનારાયણ) તાલુકાના ઢસામાં આવેલા ગુરુકુળના સંચાલક સ્વામી અક્ષરપ્રસાદદાસજી પર તાજેતરમાં હુમલવો કરાયો હતો. સ્વામીએ ગુરુકુળના વિદ્યાર્થી સામે શિસ્ત મુદ્દે કડક કાર્યવાહી કરતા તેમના પર જીવલેણ હુમલો કરાયો હતો એ પછી ઈજાગ્રસ્ત સ્વામીને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વિદ્યાર્થી ધાર્મિક મહેશભાઇ ગઢવીને તાજેતરમાં ગેરશિસ્ત અને શિસ્તભંગના કારણે ગુરુકુળમાંથી કાઢી મુકાયો હતો. ગઢડા નજીકના આકડિયા ગામના રહેવાસી ધાર્મિકના પિતા મહેશ પીંગળશીભાઇ ગઢવીએ ગુરુકુળમાં શાળાએ જઇને સ્વામી અક્ષરપ્રકાશદાસજીને તેમના દીકરાને શાળામાં પાછા લેવા માટે વાતચીત કરી, પણ સ્વામીએ ધાર્મિકને શાળામાં પાછા લેવાનો સ્પષ્ટ ઈનકાર કરતાં મહેશભાઈ ગઢવી ઉશ્કેરાઇ ગયા અને તેમણે સ્વામીને લોખંડના પાઇપથી હાથ-પગ પર ઈજા પહોંચાડતા સ્વામીને ભાવનગર સારવાર અર્થે ખસેડાયા હતા. આ કેસમાં પોલીસે વધુ તપાસ આદરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter