દ્રોણેશ્વર સ્વામીનારાયણ ગુરુકુળમાં માઘસ્નાન

Wednesday 12th February 2020 05:58 EST
 
 

દ્રોણેશ્વરઃ શાસ્ત્રોમાં માઘસ્નાનનો અનેરો મહિમા છે. દ્રોણેશ્વર સ્વામીનારાયણ ગુરુકુળમાં સ્નાન માટે ગરમ પાણીની વ્યવસ્થા હોવા છતાં નવમી ફેબ્રુઆરીએ પૂર્ણિમાના દિવસે માઘસ્નાની પૂર્ણાહૂતિની પૂર્વસંધ્યાએ ૧૨૦ વિદ્યાર્થીઓએ પરંપરાગત રીતે માઘસ્નાન કર્યું હતું. આ પ્રસંગે માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ધર્મપ્રસાદદાસજી સ્વામી, હરિપ્રયિદાસજી સ્વામી તથા હરિદર્શનદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને ઇનામ આપ્યાં હતાં.




to the free, weekly Gujarat Samachar email newsletter