દ્વારકા સ્વામીનારાયણ મંદિરના સ્વામી પર દુષ્કર્મનો આરોપ

Wednesday 03rd July 2019 07:47 EDT
 

દ્વારકાઃ દ્વારકામાં ૨૫ વર્ષની યુવતીએ દ્વારકા સ્વામીનારાયણ મંદિરમાં સ્વામી વિરુદ્ધ બળાત્કાર કર્યાના આક્ષેપ સાથે ૧૮૧ ઉપર ફરિયાદ કરી હતી. દ્વારકા સ્વામીનારાયણ મંદિરના ૭૯ વર્ષીય સ્વામી પ્રેમજીવને સ્વામીનારાયણ મંદિરમાં જ કામ કરતી યુવતી ઉપર ૪ વખત દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ હતી.
સ્વામીએ યુવતીને પોતાના રૂમમાં સફાઈ કરવા આવવાની બહાને બોલાવી ૪ વખત દુષ્કર્મ આચરતા યુવતીએ અવાર નવાર થતા શોષણથી કંટાળી ૧૮૧માં ફોન કરી મદદ માગી હોવાનું ખૂલ્યું હતું. સ્વામી દ્વારા યુવતીના પતિને નોકરીમાંથી હાંકી કાઢવાની તેમજ માર ખવડાવાની ધમકી આપ્યાનો પણ આરોપ યુવતીએ સ્વામી પર લગાવ્યો હતો.
જોકે કેસમાં એવો ટ્વિસ્ટ પણ આવતો દેખાયો હતો કે પીડિત યુવતીને જ દ્વારકા પોલીસને સોંપી દેવાઈ હતી. દ્વારકા પોલીસ પર પણ યુવતી તેમજ તેના પિતાને ધમકાવવાનો અને ફરિયાદ ન કરવાનો આક્ષેપ થયો હતો. જોકે પીડિતાએ ફરિયાદ લખાવવા અને ન લખાવવા બાબતે ફેર નિવેદન કરતાં આ કેસમાં ગૂંચવાડો ઊભો થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter