દ્વારકામાં બલરામજીના મંદિરમાં શોર્ટસર્કિટથી આગઃ મૂર્તિનો ચમત્કારિક બચાવ

Wednesday 23rd May 2018 08:15 EDT
 

દ્વારકાઃ જગત મંદિર પરિસરમાં આવેલા બળરામજીના મંદિરમાં ૧૯મી મેએ વહેલી સવારે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી આગ લાગતાં ચાંદીના દરવાજા, આભૂષણો, ઈલેક્ટ્રિક ચીજો ખાખ થઈ હતી. જોકે બલરાજીની મૂર્તિનો ચમત્કારિક બચાવ થયો હતો.
ફરજ પરના સિક્યુરિટી જવાનને વહેલી સવારે ૫.૩૦ વાગ્યે આગ લાગવાની જાણ થતાં તેણે દ્વારકાધીશ મંદિરના પૂજારી, શારદામઠના દંડી સ્વામી અને દ્વારકાધીશ મંદિરની દેવસ્થાન સમિતિ અને ફાયર સ્ટાફને જાણ કરી હતી. એ પછી તુરંત જ હાજર લોકોએ ભોગ ભંડારમાંથી પાણીની ડોલ અને ઘડાની મદદથી આગ પર પાણી છાંટવાનું શરૂ કર્યું હતું. અડધા કલાકમાં આગ કાબૂમાં આવી જતાં જાનહાનિ ટળી હતી.
મંદિરમાં લાગેલી આગમાં ચાંદીના દરવાજા, આભૂષણો બળીને ખાખ થઈ ગયા હતા. જોકે ભગવાન બલરાજીની મૂર્તિનો ચમત્કારિક બચાવ થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter