પંજાબમાં શહીદ લટુડાના ફૌજી મહેશભાઈ ટમાલિયાની વતનમાં અંતિમ વિધિ

Tuesday 14th May 2019 08:47 EDT
 

વઢવાણ: પંજાબના પટિયાલામાં શહીદ થયેલાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના લટુડા ગામના મહેશભાઇ છગનભાઇ ટમાલિયાના મૃતદેહને આઠમીએ વતન લવાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના લટુડાના વતની મહેશભાઈ છગનભાઈ ટમાલિયા છેલ્લા વીસ વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા. તેઓ પંજાબમાં પટિયાલામાં ફરજ ઉપર હતા ત્યારે ફરજ દરમિયાન તેમને માથાના ભાગે ઇજા થતાં તેમનું મૃત્યુ થયું હતું. તેમના મૃતતદેહને વતન લવાયો અને તેમની અંતિમ યાત્રા લટુડામાં નીકળી ત્યારે ગામના સમસ્ત લોકો તેમજ આજુબાજુના ગામના લોકો પણ મોટી સંખ્યામાં હાજર હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter