પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા આપમાં જોડાયા

Sunday 06th November 2022 07:43 EST
 
 

ભાવનગરઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં ભાવનગરમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા ‘આપ’માં જોડાયા છે. ભાવનગરના ગારિયાધારમાં કેજરીવાલની હાજરીમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.
હાર્દિક પટેલ થોડાક મહિના પૂર્વે ભાજપમાં જોડાયા બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિ (‘પાસ’)ના અન્ય હોદ્દેદારો કોની સાથે જશે તેને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચા હતી, પરંતુ રવિવારે બંને નેતાઓ તેમના સમર્થકો સાથે ‘આપ’માં જોડતાની ઼સાથે ‘પાસ’નો ‘આપ’માં દબદબો બન્યો છે. ‘પાસ’ના કન્વીનર સહિતના નેતાઓ ‘આપ’માં જોડાઈ ગયા છે. આ પહેલાં ‘પાસ’ના જ ઈટાલિયા ‘આપ’માં જોડાયા હતા અને ત્યારબાદ પ્રદેશ પ્રમુખ તરીકે પાર્ટીના સર્વોચ્ચ પદે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter