પાતાળેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસમાં ખુલ્લું રહેશે

Wednesday 03rd August 2016 07:31 EDT
 

પાતાળેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસમાં ખુલ્લું રહેશેઃ બાબરિયામાં જંગલ ખાતાની ચેકપોસ્ટથી ૭ કિ.મી. દૂર લીલાછમ્મ ડુંગરાઓની વચ્ચે સેંકડો વર્ષ જૂનું પાતાળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જે સૌરાષ્ટ્રમાં મિની કેદારનાથની યાત્રા સમાન ગણાય છે. આ મંદિર સુધી જવા માટે વન વિભાગ દ્વારા વર્ષમાં બે વખત એટલે કે મહાશિવરાત્રિનાં આઠ દિવસ તથા શ્રાવણ માસના ૩૦ દિવસ ભક્તજનો માટે સવારે ૮થી સાંજના ૫ વાગ્યા સુધી મુલાકાત માટે વિનામૂલ્યે પરમીટ કાઢી આપવામાં આવે છે. જે નિયમ આ શ્રાવણ મહિને પણ લાગુ પડશે. 

પાક રક્ષણ માટે ફેન્સિંગમાં રાખેલા વીજ પ્રવાહથી સિંહણનું મોતઃ ખાંભામાં આવેલા ડેડાણના ઇબ્રાહિમ મહંમદ ચૌહાણ અને મહંમદ કાળુ ચૌહાણ નામના ખેડૂત પિતા-પુત્રએ જંગલી પશુઓથી પાકને બચાવવા માટે ખેતરની ફરતે ઇલેક્ટ્રીક ફેન્સિંગ કરી જેથી એક સિંહણનું મૃત્યુ થયું હોવાનું હાલમાં વન વિભાગની તપાસમાં ખૂલ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter