પાલિતાણામાં ૨૦૦૦ વિદ્યાર્થિનીઓ સાથેની ૧૧૦૭ ફૂટ લાંબી તિરંગા યાત્રા

Wednesday 22nd August 2018 08:29 EDT
 
 

પાલિતાણાઃ શહેરમાં ઐતિહાસિક ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી, ૨૦૦૦ બહેનો યાત્રામાં જોડાઇ હતી, રાષ્ટ્રગાન કરીને ભાજપા પ્રદેશ પ્રમુખે લીલીઝંડી આપીને અંકુર વિદ્યાલય, રેલવે ફાટક પાસેથી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ૨૦૦૦ બહેનો કતારબદ્ધ આ તિરંગા સાથે જોડાઇ હતી. ૧૧૦૭ ફુટ લાંબા તિરંગા સાથે ૩.૫૦ કિલી મીટર યાત્રા ચાલી હતી, અખંડ ભારત સ્મૃતિ દિન નિમિત્તે એકતા અને અખંડિતતાના પ્રતીક સમાન આ યાત્રા માર્ગો પર નીકળી ત્યારે ઠેર -ઠેર દબદબાભેર સ્વાગત કરાયું હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter