પિતાએ બે વર્ષ સુધી વિકલાંગ પુત્રી પર બળાત્કાર આચર્યો!

Wednesday 10th October 2018 07:56 EDT
 

પોરબંદર: છાયા વિસ્તારમાં અકસ્માતના કારણે વિકલાંગ બની ગયેલી પુત્રી પર બે વર્ષ સુધી દુષ્કર્મ આચરનાર પિતા સામે તાજેતરમાં બેસહાય પુત્રી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદમાં પુત્રીએ પિતા પર એવો આરોપ મૂકયો હતો કે, પાંચ વર્ષ પહેલા ૨૦૧૩ની સાલમાં તે સગીર હતી ત્યારે અકસ્માત થતાં તેના પગમાં ગંભીર રીતે ઇજા થઇ હતી. તેના કારણે તે વિકલાંગ બની ગઇ હતી અને તે અત્યાચારનો કોઈ પણ પ્રકારે પ્રતિકાર કરી શકે તેમ ન હતી. તે પછીથી પિતાએ સતત બે વર્ષ સુધી અવારનવાર ધાકધમકી આપીને તેના પર દુષ્કર્મ આચર્યુ હતું.
પિતા તેની માતાને મારી નાંખવાની ધમકી આપીને બળાત્કાર ગુજારતા હતાં. હવે તે સગીરમાંથી પુખ્ત બની છે. તેને હિંમત દાખવીને પિતા સામે ફરિયાદ નોંધાવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter