પૂ. મોરારિબાપુના નાના ભાઈ ટીકાબાપુનું નિધન

Wednesday 17th April 2019 08:04 EDT
 

ભાવનગરઃ પૂ. મોરારિબાપુના સૌથી નાના ભાઈ જાનકીદાસ પ્રભુદાસ હરિયાણી (ટીકાબાપુ)નું ૧૩ એપ્રિલે ટૂંકી બીમારી બાદ અમદાવાદમાં અવસાન થયું છે. ૫૪ વર્ષના ટીકાબાપુના પાર્થિવ દેહને ચિત્રકૂટધામ - તલગાજરડા ખાતે રવિવારે સમાધિ આપવામાં આવી હતી. પૂજ્ય મોરારિબાપુ રવિવારે રત્નાવલી - ઉત્તર પ્રદેશની કથા પૂર્ણ કરીને તલગાજરડા પહોંચ્યા બાદ ચિત્રકૂટ ધામ ખાતે સમાધિપૂજનની વિધિ કરવામાં આવી હતી. ટિકાબાપુનું નિધન થતાં આ વર્ષે હનુમંત સંગીત મહોત્સવ અને અસ્મિતા પર્વનું આયોજન બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. દર વર્ષે મોરારિબાપુની પાવન નિશ્રામાં અસ્મિતા પર્વની ઉજવણી
થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter