પોરબંદરના રાજવીએ ૩૫ ક્વાર્ટર કર્મચારીઓનાં નામે કરી આપ્યાં

Wednesday 05th July 2017 09:29 EDT
 
 

પોરબંદરઃ રજવાડાના સમયમાં રાજવી પરિવાર સાથે રહીને કામ કરતા કર્મચારીઓને વર્ષો બાદ તેમની વફાદારીની કિંમત રાજવી પરિવારે આપી હોય તેમ પોરબંદરના રાજવીએ હઝુર પેલેસમાં રહેતા કર્મચારીઓને ક્વાર્ટર તેમના નામે કરી દીધાં છે. પોરબંદરના દરિયાકિનારે રાજવી મહારાણા નટવરસિંહજીનો ભવ્ય હઝુર પેલેસ આવેલો છે. પેલેસમાં રાજવી પરિવાર સાથે ૩-૪ પેઢીથી કામ કરતા કર્મચારીઓ માટે ખાસ ક્વાર્ટર બનાવવામાં આવ્યા હતા. આજે પણ પરિવારજનો અહીં વસવાટ કરે છે. ક્વાર્ટર કર્મચારીઓએ પોતાના નામે કરી આપવા માટે મહારાણા નટવરસિંહજીના પુત્ર હરેન્દ્રકુમાર સમક્ષ માગ
કરી હતી હરેન્દ્રકુમારે ૩૫ જેટલા ક્વાર્ટરો જેની કિંમત અંદાજે રૂ. ૧૦ કરોડ છે તે કર્મચારીઓના નામે કરી દીધાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter