પોરબંદરમાં આધેડની હત્યામાં છને આજીવન કેદ

Wednesday 28th August 2019 08:15 EDT
 

પોરબંદરઃ પોલીસને દારૂ અંગે બાતમી આપતા હોવાની શંકાના આધારે પોરબંદરના ખારવાવાડ વિસ્તારના વાંદરી ચોકમાં રામજીભાઈ ઉર્ફે પાગો દેવશીભાઈ પાંજરી પર લોખંડના પાઇપથી હુમલો કરીને હત્યા કરવા અંગે પકડાયેલા છ જણા સામેનો કેસ તાજેતરમાં ચાલી જતાં અદાલતે છ જણાને આજીવન કેદની સજા અને રૂ. ૨૦-૨૦ હજારના દંડની સજા ફટકારી છે.
પાંચ વર્ષ પહેલા બનેલી આ ઘટનામાં અદાલતે મુકેશ ઉર્ફે કારો લાલજીભાઈ મસાણી, વિંઝાભાઈ ગોહેલ, કાગડો ગોવિંદભાઈ ચૌહાણ, સતિષ પરસોત્તમભાઈ રાઠોડ, મુકેશ કાલી ખીમજીભાઈ વાંદરિયા અને નીતિન ધોબી શિવલાલ કનોજીયાને અદાલતે આજીવન કેદ અને રૂ. ૨૦-૨૦ હજારના દંડની સજા કરી હતી.
આ કેસમાં ૪૪ જેટલા સાહેદની જુબાની લેવાઈ હતી અને દસ્તાવેજી પુરાવા રજૂ થયાં હતાં. આ હત્યાના મુખ્ય આરોપી ભરત ઉર્ફે બાઘો કેશવભાઈ લોઢારી જે તે સમયે ફરાર થઈ ગયો હતો. બાદમાં તે પોલીસના હાથમાં આવ્યો હતો. આથી હત્યાના બનાવમાં તેનો પુરવણી કેસ ચાલશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter