પ્રેમીએ લગ્નની ના પાડતા વિદ્યાર્થિની સળગી

Wednesday 02nd October 2019 07:18 EDT
 

રાજકોટઃ શાપરમાં સર્વેદય સોસાયટીમાં રહેતી વૈશાલી ગીગાભાઈ ખાટરીયા (ઉં ૧૯) નામની ભરવાડ યુવતીએ તેના ઘેર ફળિયામાં કેરોસીન છાંટી સળગી ઉઠતા ગંભીર રીતે દાઝી જવાથી રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પોલીસ તપાસમાં વૈશાલી રાજકોટની રમેશભાઈ છાયા સ્કૂલમાં ધોરણ-૧૨માં અભ્યાસ કરે છે અને વૈશાલીને શાપરમાં જ રહેતા અને ચાનો થડો ધરાવતા મેહુલ ભરવાડ નામના યુવાન સાથે ત્રણેક વર્ષથી પ્રેમસંબંધ બંધાયો હતો. વૈશાલી સ્કૂલે નહોતી ગઈ અને પ્રેમી મેહુલ સાથે વિરપુર ગઈ હતી અને સ્કૂલેથી વૈશાલી સ્કૂલે નહીં આવ્યાનો ફોન આવતા પરિવારજનોને પ્રેમસંબંધની જાણ થઈ હતી. વૈશાલીનો પરિવાર મેહુલના પરિવારજનો સાથે લગ્નની વાત કરવા ગયા હતા. જોકે મેહુલે લગ્ન કરવાનો ઈનકાર કરતા માઠું લાગી આવવાથી વૈશાલીએ ૨૮મીએ અગ્નિસ્નાન કરી લેતાં હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter