બંગાળની ચૂંટણી બાદ સોમનાથ વોક-વેનું લોકાર્પણ

Friday 16th April 2021 05:17 EDT
 
 

સોમનાથ મહાદેવ મંદિર ખાતે દરિયા કિનારે મુંબઇના મરીન ડ્રાઇવ જેવા ૧૫૦૦ મીટર લાંબા વોક-વેની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. હવે તેને સોમનાથ આવતા યાત્રિકો માટે ટુંક સમયમાં ખુલ્લો મુકાશે. આ વોક-વે સાગર દર્શન ગેસ્ટહાઉસથી ત્રિવેણીના બંધારા સુધી બનાવાયો છે. પશ્વિમ બંગાળની ચૂંટણી પૂર્ણ થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વોક-વેના લોકાર્પણ માટે સોમનાથ આવે એવી શક્યતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter