જૂનાગઢ, બિલખાઃ જૂનાગઢ-બિલખા રોડ ઉપર માંડલપરા નજીક આવેલા હનુમાન મંદિરના મહંત કૃષ્ણાનંદ ગુરુ રામેશ્વરાનંદ (ઉ.૬૦)ની કોઈ અજાણ્યા માણસોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાસી ગયા હતા. ૨૯મી એપ્રિલે સવારે ૧૦.૩૦ વાગ્યા આસપાસ મહંત ખુરશીમાં બેઠા હતા ત્યારે એકાએક ત્રણથી ચાર જણા ધસી આવ્યા અને તીક્ષ્ણ હથિયારથી તેમના પર હુમલો કર્યો ને તેઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા. આ અંગેની પોલીસમાં ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.