બે કુખ્યાતોની હત્યામાં પાંચ પોલીસની ધરપકડ

Wednesday 18th January 2017 07:51 EST
 

રાજકોટઃ થોરાળા પોલીસ મથકના પીઆઈ સુખવિંદરસિંઘ ગડ્ડુ, પીએસઆઇ સુરેશ સોલંકી, પોલીસમેન ચેતનસિંહ ગોહિલ, અનિલસિંહ ગોહિલ અને હિતેષ પરમારની ૧૨મીએ ધરપકડ કરાઈ હતી. હત્યા, લૂંટ, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ખૂની હુમલા અને ફરજમાં રૂકાવટ સહિતના વીસ જેટલા ગુનામાં સંડોવાયેલા શકિતસિંહ ઉર્ફે પેંડો પ્રદીપસિંહ ઝાલા અને મૂળ સરપદડના વતની અને હાલ ધ્રાંગધ્રા રહેતા પ્રકાશ દેવરાજભાઇ લુણાગરિયાની લાશ બીજી જાન્યુઆરીએ મોડી રાત્રે આજી વસાહતમાંથી મળી આવી હતી.

પેંડાની માતા નીતાબા અને પ્રકાશના પિતા દેવરાજભાઇ લુણાગરિયાએ શક્તિસિંહ તથા પ્રકાશને પોલીસે હેરાન કરીને હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. જેની તપાસ બાદ પોલીસકર્મીઓની ધરપકડ કરાઈ હતી. જોકે પોલીસકર્મીઓની ધરપકડ બાદ ૧૪મી જાન્યુઆરીએ પ્રકાશના પિતાએ ફરિયાદ પાછી ખેંચી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter